કદમગીરી કમલાઈ માતાજી મંદિર ખાતે પ્રથમ કમળા હુતાસણી પ્રગટાવ્યા બાદ સમગ્ર ભારતમાં હોળી ની ઉજવણી કરવામાં આવે છે ૨૦૦૦ ફૂટની ઊંચાઈ પર પ્રજ્વલિત કરવામાં આવતી આ હોળી ૪૦ કિલોમીટર દૂરથી પણ જોઈ શકાય છે
હોળીના આગલા દિવસે કેમ કમળા ઉતાસણી ઉજવવામાં આવે છે તેમની પાછળનો ઇતિહાસ શું છે?
www.gujjusanjay.com
દેવીએ વિષ્ણુની અર્ધાંગના બનવા માટે ફાગણ સુદ-૧૪ (ચૌદશ) દિવસે અગ્નિ જ્યોતમાં પોતાને પરિવર્તન કર્યા તેથી તે દિવસ કમળા ઉતાસણી તરીકે પુરા ભારતમાં પ્રખ્યાત છે.
આ દિવસે આજુબાજુના ગામના નવ પરિણીત દંપતીઓ ઉતાસણીની પ્રદક્ષિણા કરી તેમાં શ્રીફળની આહુતિ આપે છે અને ત્યારબાદ તે શ્રીફળને બહાર કાઢી તેને પ્રસાદ સ્વરૂપ લેવામાં આવે છે
કેવી રીતે પહોંચવું
Fill in some text
ડુંગર પર બિરાજમાન માતાજીના સ્થાનક સુધી પહોંચવા માટે બેથી અઢી કિલોમીટરનું ટ્રેકિંગ છે અથવા તમે સીડીઓ દ્વારા જવું હોય તો અંદાજીત ૧૭૦૦ સીડી છે તેનો ઉપયોગ કરી શકો છો