ઝાંઝરીયા હનુમાન | Janjariya Hanuman Bhavnagar

ઝાંઝરીયા હનુમાન ભાવનગર

આ કળિયુગમાં હનુમાનજી મહારાજ શીઘ્ર ફળ આપનાર દેવ માનવામાં આવે છે. હનુમાનજી ના કોઇ પણ સ્વરૂપના દર્શન કરવાથી જીવનના તમામ આધિ – વ્યાધિ અને ઉપાધિ ટળે છે અને આવા કલ્યાણકારી સ્વરૂપ વિશે હું તમને વાત કરવાનો શું. જેને  ઝાંઝરીયા હનુમાન ના નામે ઓળખવામાં આવે છે, હનુમાનજી મહારાજનું આ સ્થાન ભાવનગર જિલ્લાના અધેવાડા ગામ માં આવેલ છે.

હનુમાનજી મહારાજના આસ્થાને કે જતા ભક્તોને પહેલી નજરે એવું લાગશે કે આ નાનકડા મંદિરની એટલી બધી મહત્વતા કેમ? પહેલી નજરે જોનારને આવું જ લાગે પરંતુ શ્રદ્ધા અને આસ્થાની નજરે જોનાર એ તમામ લોકોને અહીં આવતા ભક્તોનો જમાવડો એ વાતની  સાબિતી પૂરે છે કે હનુમાનજી મહારાજ તમામ ભાવિ ભક્તો ના ધારા કાર્ય પૂર્ણ કરે છે. જો તમે પણ હનુમાનજી મહારાજ પર આસ્થા ધરાવો છો તો એક વખત દાદાના આ સ્થાનળની અચૂક મુલાકાત લેજો.

આ મંદિરના પટાંગણમાં મધ્ય હનુમાનજી મહારાજનું મંદિર હનુમાનજી મહારાજના જમણે બજરંગદાસ બાપાનું મંદિર અને હનુમાનજી મહારાજના ના ડાબી બાજુ દેવાધિદેવ મહાદેવનું મંદિર આવેલ છે અને મંદિરની સામે આંગણમાં શ્રીફળ અને પ્રસાદની વિવિધ નાની મોટી દુકાનો પણ તમે જોઈ શકશો

Janjariya Hanuman Bhavnagar History

ઝાંઝરીયા હનુમાન ઇતિહાસ લોકવાયકા પ્રમાણે વાત કરીએ તો 700 થી 750 વર્ષ જૂનું સ્થાન છે. સિહોર પાસે આવેલ કનાડા આવેલ છે ત્યાંથી કનાડા બ્રાહ્મણ જ્ઞાતિની સાથે તેમની ભક્તિથી પ્રસન્ન થઇને હનુમાન દાદા સ્વયમ પગે ચાલીને આ સ્થળ પર આવેલા અને એ વખતે તેમના પગમાં ઝાંઝર બાંધીને આવેલ હોવાથી તેનું નામ ઝાંઝરીયા હનુમાન પડ્યું

એ સિવાય બીજા ઇતિહાસની વાત કરીએ તો બગદાણા માં બિરાજમાન બજરંગદાસ બાપા એવા મહાન સંત શિરોમણી બજરંગદાસ બાપા ની જન્મ ભૂમિ છે.

YouTube player

Leave a Comment